રેલવે મંત્રાલય
ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ અમદાવાદમાં તિરંગા વિતરણ કાર્યક્રમનો શુભારંભ
Posted On:
04 AUG 2022 8:30PM by PIB Ahmedabad
આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવતા અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી "હર ઘર તિરંગા" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌએ પોતાના ઘરે તિરંગો લહેરાવવાનો છે
ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, અમદાવાદ ખાતે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈને 04.08.2022 ના રોજ તમામ શાખા અધિકારીઓની હાજરીમાં ત્રિરંગા વિતરણ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા 16500 ત્રિરંગાનું વિતરણ કરવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે અમદાવાદ ડિવિઝન દ્વારા પોતાના સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આના હેઠળ કર્મચારીઓ અને અધિકારીઓને લગભગ 16500 ત્રિરંગાનું વિતરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં ડિવિઝનના તમામ વિભાગો, ઉત્પાદન એકમો, એકમો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1848532)
Visitor Counter : 108