રેલવે મંત્રાલય

રેલવે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ રેલવેના બે કર્મચારીઓ સન્માનિત

Posted On: 02 AUG 2022 8:03PM by PIB Ahmedabad

 

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના બે કર્મચારીઓને તકેદારી અને સતર્કતા સાથે રેલવે સંરક્ષા (સેફ્ટી)માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સિનિયર ડિવિઝનલ સંરક્ષા અધિકારી શ્રી એ.વી. પુરોહિતના જણાવ્યા મુજબ, મિકેનિકલ વિભાગના કર્મચારીઓ શ્રી સુરેન્દ્ર રાય, લોકો પાયલોટ-સાબરમતી અને ઓપરેશન વિભાગના કર્મચારીઓ શ્રી રવિન્દ્ર કુમાર, ગાર્ડ-પાલનપુર એવોર્ડ પ્રાપ્ત કરનાર બંને કર્મચારીઓની રેલવે સંરક્ષા ક્ષેત્રે તકેદારી કારણે સંભવિત રેલ દુર્ઘટનાને સમયસર ટાળી શકાઈ હતી.ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ તકેદારી અને સતર્કતા સાથે કામગીરી કરતાં સંભવિત ટ્રેન અકસ્માતને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં બ્રેક વાનની લીડિંગ ટ્રોલીનો સેન્ટર પીવટ તૂટેલી જોવા મળતાં ગુડ્ઝ ટ્રેનને સમયસર અટકાવી દેવામાં આવી હતી વગેરે જેવી ઘટનાઓ સામેલ છે.

ડીઆરએમ શ્રી જૈને પુરસ્કાર પ્રાપ્ત કરનાર બંને રેલવે કર્મચારીઓને અભિનંદન આપતા તેમને સંરક્ષાને લગતા તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અને પોતાની સમજણ અને તત્પરતાથી કોઈપણ પ્રકારની રેલવે ઘટનાને રોકવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

SD/GP/JD



(Release ID: 1847569) Visitor Counter : 113