પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ નં. ૧૩ ખાતે મન કી બાત કાર્યક્રમમાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા

Posted On: 31 JUL 2022 7:06PM by PIB Ahmedabad

કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ લમ્પી સ્કિન ડીસીઝ માટે શરૂ કરાયેલા આઈસોલેસન સેન્ટર મુલાકાત લીધી હતી. જ્યાં તેમને સંસ્થા તેમજ જિલ્લા તંત્રની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રી પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં ૧૩ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દર મહિને યોજાતા મન કી બાત કાર્યક્રમમાં રેડિયોના માધ્યમથી સંભાળ્યો હતો.

આ તકે મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખિરીયા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી શ્રીના વક્તવ્યને ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.

SD/GP/JD



(Release ID: 1846783) Visitor Counter : 112