રેલવે મંત્રાલય

સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ ટ્રેનનું ઓસિયાં સ્ટેશન પર સ્ટોપેજ

Posted On: 29 JUL 2022 5:20PM by PIB Ahmedabad

રેલવે પ્રશાસન દ્વારા રામદેવરા મેળા અને પૂજા સીજન દરમિયાન યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ ટ્રેનને 1લી ઓગસ્ટથી 30મી ઓક્ટોબર 2022 સુધી ઓસિયાં સ્ટેશન પર અસ્થાઈ સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 14804 સાબરમતી–જેસલમેર એક્સપ્રેસ ટ્રેન ઓસિયાં સ્ટેશન પર 08:08 કલાકે પહોંચશે અને 08:10 કલાકે જેસલમેર માટે રવાના થશે.

2. ટ્રેન નંબર 14803 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઓસિયાં સ્ટેશન પર 19:36 કલાકે પહોંચશે અને 19:38 કલાકે સાબરમતી માટે રવાના થશે.

SD/GP/JD



(Release ID: 1846255) Visitor Counter : 111