રેલવે મંત્રાલય
સાબરમતી-જોધપુર અને જોધપુર-જેસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું મર્જર
હવે જેસલમેર-સાબરમતી-જેસલમેર ટ્રેન તરીકે સંચાલિત થશે
મુસાફરોને રામદેવરા જવા માટે સીધી કનેક્ટિવિટી મળશે
प्रविष्टि तिथि:
28 JUL 2022 7:32PM by PIB Ahmedabad
રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 14804/14803 સાબરમતી-જોધપુર-સાબરમતી અને ટ્રેન નંબર 14810/14809, જોધપુર-જેસલમેર-જોધપુર ટ્રેનોનું મર્જર કરવામાં આવી રહેલ છે. હવે આ ટ્રેન નંબર 14804/14803, સાબરમતી-જેસલમેર-સાબરમતી તરીકે સંચાલિત થશે. ડિવિઝનલ રેલવે પ્રવક્તા અમદાવાદ ના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 14804/14803 સાબરમતી-જેસલમેર-સાબરમતી (દૈનિક)
ટ્રેન નંબર 14804 સાબરમતી – જેસલમેર એક્સપ્રેસ 31મી જુલાઈ 2022થી સાબરમતીથી 21.45 કલાકે ઉપડીને 00:45 કલાકે ભીલડી, બીજા દિવસે 06:05 કલાકે જોધપુર તથા 12.40 કલાકે જેસલમેર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 14803 જેસલમેર - સાબરમતી એક્સપ્રેસ 01 ઓગસ્ટ 2022 થી જેસલમેરથી 15.00 કલાકે ઉપડીને 21:10 કલાકે જોધપુર, બીજા દિવસે 02:23 કલાકે ભીલડી અને 05.30 કલાકે સાબરમતી પહોંચશે.
ઉપરોક્ત ટ્રેનોનો અન્ય સ્ટેશનો પર હોલ્ટ્સ અને સંચાલન સમય યથાવત રહેશે.
ઉપરોક્ત ટ્રેનોના ટ્રેનના પરિચાલન સમય, હોલ્ટ્સ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1845964)
आगंतुक पटल : 199