રેલવે મંત્રાલય

02 અને 9 ઓગસ્ટ 2022ની અમદાવાદ-યશવંતપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Posted On: 26 JUL 2022 7:06PM by PIB Ahmedabad

મધ્ય રેલવેના સોલાપુર ડિવિઝનના ભિગવન-વાશિમ્બે સ્ટેશનો વચ્ચે ડબલિંગ માટે નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે,જેની વિગત આ મુજબ છે.

  • 02 અને 9 ઓગસ્ટ 2022ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 16501 અમદાવાદ - યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
  • 31મી જુલાઈ અને 07મી ઓગસ્ટ 2022ના રોજ યશવંતપુરથી ઉપડતી ટ્રેન નંબર 16502 યશવંતપુર - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

ટ્રેનોના પરિચાલન સાથે સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કોઈ અસુવિધા ન થાય.

SD/GP/JD



(Release ID: 1845092) Visitor Counter : 118