સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 25 JUL 2022 4:44PM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનર (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), ‘સ્પીડ પોસ્ટ ભવન’, શાહીબાગ, અમદાવાદ-380004ની કચેરી ખાતે તા. 29.07.2022 (શુક્રવાર)ના રોજ 11.00 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રીમતી એમ એ પટેલ, સહાયક નિદેશક ડાક સેવા (એસ એન્ડ આઈ), કમ્પ્લેઈન્ટ સેક્શન, પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ને તા. 25.07.2022 (સોમવાર) સુધઈમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસરની હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં, તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતાં વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.

SD/GP/JD



(Release ID: 1844651) Visitor Counter : 143