રેલવે મંત્રાલય
28 ઓગસ્ટ 2022 સુધી સયાજી નગરી દર શનિવાર અને રવિવાર કિમ સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસ દર શનિવારે અંકલેશ્વર સ્ટેશન પર રોકાશે
Posted On:
24 JUL 2022 6:37PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા માલગાડીઓની ટ્રેનોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને દર શનિવાર અને રવિવાર 28 ઓગસ્ટ સુધી રદ્દ કરવામાં આવી છે.
આ ઉપરાંત મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નં. 20908/20907 સયાજી નગરી એક્સપ્રેસને ઉપરોક્ત સમયગાળા દરમિયાન બંને દિશામાં કીમ સ્ટેશન પર રોકાણ આપવામાં આવ્યું છે. ટ્રેન નંબર 12933/12934 અમદાવાદ - મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસને પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન દર શનિવારે અંકલેશ્વર સ્ટેશન પર રોકાણ આપવામાં આવ્યું છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1844435)
Visitor Counter : 117