રેલવે મંત્રાલય

28 ઓગસ્ટ 2022 સુધી સયાજી નગરી દર શનિવાર અને રવિવાર કિમ સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસ દર શનિવારે અંકલેશ્વર સ્ટેશન પર રોકાશે

Posted On: 24 JUL 2022 6:37PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા માલગાડીઓની ટ્રેનોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને દર શનિવાર અને રવિવાર 28 ઓગસ્ટ સુધી  રદ્દ કરવામાં આવી છે.

આ ઉપરાંત મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નં. 20908/20907 સયાજી નગરી એક્સપ્રેસને ઉપરોક્ત સમયગાળા દરમિયાન બંને દિશામાં કીમ સ્ટેશન પર રોકાણ આપવામાં આવ્યું છે. ટ્રેન નંબર 12933/12934 અમદાવાદ - મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસને પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન દર શનિવારે અંકલેશ્વર સ્ટેશન પર રોકાણ આપવામાં આવ્યું છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1844435) Visitor Counter : 117