રેલવે મંત્રાલય

17 જુલાઈથી અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનનું સુરત સ્ટેશન પર સ્ટોપેજ

Posted On: 14 JUL 2022 5:56PM by PIB Ahmedabad

રેલવે પ્રશાસને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો  છે. જેની વિગતો નીચે મુજબ છે.

તારીખ 17 જુલાઈ 2022થી ટ્રેન નંબર 12297 અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનનો સુરત સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 01:22/01:25 કલાકનો રહેશે.

તારીખ 18 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 12298 પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનનો સુરત સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 03:07/03:10 કલાકનો રહેશે.

SD/GP/JD



(Release ID: 1841517) Visitor Counter : 96