રેલવે મંત્રાલય
સ્વચ્છ ભારત - ગ્રીન ઈન્ડિયા પહેલ
વડોદરા મંડળના મકરપુરા, રણોલી, ડભોઇ, કરમસદ, મોડાસા, ખરસાલિયાઅને ઉતરાણ સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થશે
Posted On:
12 JUL 2022 8:32PM by PIB Ahmedabad
ભારત સરકારની સ્વચ્છ ભારત - ગ્રીન ઈન્ડિયા પહેલને અનુરૂપ, પર્યાવરણમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ક્લીન એન્ડ ગ્રીન એનર્જી હેઠળ, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા 7 સ્ટેશનો પર ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગની સુવિધા આપવામાં આવી રહી છે.
આ માહિતી આપતાં સિનિયર મંડળ પ્રબંધક શ્રીમતી મંજુ મીણા એ જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેની ક્રાંતિકારી પહેલ હેઠળ મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવાનો અને તેમને યાદગાર પ્રવાસનો અનુભવ કરાવવાની સાથે સાથે આવક મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ યોજના હેઠળ, પશ્ચિમ રેલ્વે પ્રશાસને મેસર્સ ચાર્જ એવર સોલ્યુશન એલએલપીના સહયોગથી મંડળના મકરપુરા રણોલી, ડભોઈ, કરમસદ, મોડાસા, ખરસાલિયા અને ઉતરાણ સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સુવિધા પૂરી પાડી છે. આ સ્ટેશન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે સાથે સીધું જોડાયેલ છે. જેના કારણે ઈલેક્ટ્રિક વાહનો દ્વારા મુસાફરી કરતા રોડ યુઝર્સને તેનો સીધો ફાયદો મળશે. આ સાથે વડોદરા મંડળને પણ વાર્ષિક ₹40000થી વધુની આવક થશે. હાલમાં આ સુવિધા સંબંધિત કંપનીને 1 વર્ષ માટે આપવામાં આવી છે જે આગામી 1 વર્ષ માટે પણ વધારી શકાય છે.
SD/GP/JD
(Release ID: 1841022)
Visitor Counter : 139