રેલવે મંત્રાલય
અમદાવાદ-પુરી, ગાંધીધામ-પુરી અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે
Posted On:
04 JUL 2022 9:47PM by PIB Ahmedabad
પૂર્વી તટ રેલ્વે પર સંબલપુર મંડળના ટીટલાગઢ-સિકિર સેક્સન પર દોહરીકરણ કાર્ય તથા ટીટલાગઢ-કેસિંગા સ્ટેશન વચ્ચે ત્રીજી લાઇનના નિર્માણના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-પુરી એક્સપ્રેસ, ગાંધીધામ-પુરી અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત કરાયેલા માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
1. તારીખ 08 અને 15 જુલાઈ 2022ના રોજ, ટ્રેન નં. 20862 અમદાવાદ-પુરી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ રાયપુર-ટીટલાગઢ-સંબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ઇબ-સંબલપુર થઈને દોડશે.
2. તારીખ 06 અને 13 જુલાઈ 2022ના રોજ, ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંબલપુર-ટીટલાગઢ-રાયપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંબલપુર-ઇબ થઈને દોડશે.
3. તારીખ 08 અને 15 જુલાઈ 2022ના રોજ, ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ રાયપુર-ટીટલાગઢ-સંબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ઇબ -સંબલપુર થઈને દોડશે.
4. તારીખ 11 અને 18 જુલાઈ 2022ના રોજ ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ સંબલપુર-ટીટલાગઢ-રાયપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંબલપુર-ઇબ થઈને દોડશે.
5. તારીખ 07, 11 અને 14 જુલાઈ 2022 ના રોજ, ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંબલપુર-ટીટલાગઢ-રાયપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંબલપુર-ઇબ થઈને દોડશે.
6. તારીખ 07,12 અને 14 જુલાઇ 2022 ના રોજ, ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-ટીટલાગઢ-સંબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ઇબ-સંબલપુર થઈને દોડશે.
ટ્રેનોના સંચાલન, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1839224)
Visitor Counter : 152