રેલવે મંત્રાલય

પાલનપુર-સામાખ્યાલી સેક્શન પર વારાહી -વાઘપુરા-છાણસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના નિર્માણને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનોને પ્રભાવિત થશે.

Posted On: 04 JUL 2022 9:42PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પાલનપુર- સામાખ્યાલી  સેક્શન પર વારાહી -વાઘપુરા- છાણસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના નિર્માણ કાર્યને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

•  તારીખ 5 જુલાઈ અને 7મી જુલાઈ 2022ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ રદ્દ રહેશે

• તારીખ 6 જુલાઈ 2022ની  ટ્રેન નંબર 22483 જોધપુર - ગાંધીધામ એક્સપ્રેસ રદ્દ રહેશે.

ડાયવર્ટ ટ્રેનો

·         તારીખ 7 જુલાઈ 2022 ની ટ્રેન નંબર 14322 ભુજ - બરેલી એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા સામાખ્યાલી-ધ્રાંગધ્રા-વિરમગામ-મેહસાણા-પાલનપુર થઈને દોડશે.

·           તારીખ 6 જુલાઈ 2022 ની ટ્રેન નંબર  14321 બરેલી-ભુજ એક્સપ્રેસ  ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-મહેસાણા-વિરમગામ-ધાંગધ્રા- સામાખ્યાલી થઈને દોડશે.

ટ્રેનોના સંચાલન, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1839222) Visitor Counter : 113