સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 100મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


100મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે, હું એવા તમામ મહાપુરુષોને નમન કરું છું કે જેમણે ભારતમાં સહકારિતાના વિચારને મજબૂત કરવા માટે અથાક મહેનત કરી હતી, તેમ જ ગરીબમાં ગરીબ લોકોનું જીવનધોરણ ઊંચું લાવવામાં રોકાયેલા સહકારિતા ક્ષેત્રના તમામ ભાઈઓ-બહેનોને અભિનંદનઆપું છું

સર્વ-સ્પર્શી અને સર્વસમાવેશી વિકાસનાી કલ્પનાને સાકાર કરવા માટે સહકારિતાનો વિચાર શ્રેષ્ઠ માધ્યમ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારિતા મંત્રાલય અનેક મહત્વપૂર્ણ પગલાં લઈને આ ક્ષેત્રને વધુ શક્તિશાળી, આધુનિક અને પારદર્શક બનાવવા માટે પ્રતિબદ્ધ છે

Posted On: 02 JUL 2022 3:32PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 100મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પોતાના ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું કે, 100મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના અવસરે હું એવા તમામ મહાપુરુષોને નમન કરું છું કે જેમણે ભારતમાં સહકારના વિચારને મજબૂત કરવા માટે અથાક મહેનત કરી હતી. આ સાથે, હું સહકારિતા ક્ષેત્ર દ્વારા ગરીબમાં ગરીબ લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવામાં રોકાયેલા તમામ ભાઈઓ અને બહેનોને અભિનંદન આપું છું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે સહકારિતાનો વિચાર સર્વ-સ્પર્શી અને સર્વસમાવેશી વિકાસની કલ્પનાને સાકાર કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારિતા મંત્રાલય અનેક મહત્વપૂર્ણ પગલાં લઈને આ ક્ષેત્રને વધુ શક્તિશાળી, આધુનિક અને પારદર્શક બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

 

*****

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1838820) Visitor Counter : 204