સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પોસ્ટ વિભાગ દ્વારા પેન્શન અદાલતનું આયોજન

Posted On: 20 JUN 2022 5:33PM by PIB Ahmedabad

ભારત સરકારના પોસ્ટ વિભાગના આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સને જાણ કરવામાં આવે છે કે ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન તા. 04-07-2022ના રોજ 11.00 કલાકે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનની કચેરી, આશ્રમ રોડ, અમદાવાદ-380 009 ખાતે કરવામાં આવેલ છે.

તો આ ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ ને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે તા. 27-06-2022 સુધીમાં શ્રીમતી પી. બી. શાહ, આસિસ્ટન્ટ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ., ‘એએમ’ ડિવિઝનની કચેરી, આર. એમ. એસ. ઓફિસ, અમદાવાદ-380 009ને મળી જાય તે રીતે મોકલી આપવી.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835577) Visitor Counter : 185