રેલવે મંત્રાલય

અમદાવાદ રેલવે મંડળ ખાતે 15 જૂનના રોજ પેન્શન અદાલતનું આયોજન

Posted On: 07 JUN 2022 4:53PM by PIB Ahmedabad

રેલવે બોર્ડના નિર્દેશાનુસાર સેવા નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અમદાવાદ રેલવે મંડળ ખાતે તારીખ 15 જૂન, 2022ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વિગતવાર મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદએ જણાવ્યું કે, પેન્શનર/ફેમિલી પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે મંડળ રેલવે પ્રબંધક કાર્યાલય, અમદાવાદ ખાતે તારીખ 15.06.2022 (બુધવાર)ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

રેલવે સેવામાંથી અમદાવાદ મંડળના જે કર્મચારીઓ સેવાનિવૃત્ત થયા છે તે પેન્શનર/ફેમિલી પેન્શનરો તેમની પેન્શન સંબંધિત ફરિયાદોની અરજી (ત્રણ કોપીમાં) તા.11.06.2022 સુધી મંડળ રેલવે પ્રબંધક (સ્થા) કાર્યાલય,પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ, GCS હોસ્પિટલ સામે, અમદુપુરા, અમદાવાદ ને મોકલાવવાની રહેશે. અરજીમાં પોતાનું નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતીની તારીખ, સેવા નિવૃત્તિની તારીખ, PPOની નકલ અને ફરિયાદનો પ્રકાર લખવો આવશ્યક છે. જો કોઈ પેન્શનર ઈમેલ દ્વારા અરજી કરવા ઈચ્છે છે, તો તે અહીં આપેલ ઈમેલ આઈડી- pensionadalat2020adi[at]gmail[dot]com  પર પણ અરજી કરી શકે છે.

SD/GP/JD



(Release ID: 1831841) Visitor Counter : 110