રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

1 જૂન 2022થી વરેઠા-ગાંધીનગર મેમુ સ્પેશિયલ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર

પોસ્ટેડ ઓન: 26 MAY 2022 6:31PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમુ સ્પેશિયલ ટ્રેનના સંચાલાલન સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેની વિગતો નીચે મુજબ છે :-

ટ્રેન નંબર 09498 વરેઠા - ગાંધીનગર સ્પેશિયલ તારીખ 1 જૂન 2022થી વરેઠાથી 06:30 વાગ્યે ઉપડીને 06:41 વાગ્યે ખેરાલુ, 06:54 વાગ્યે વડનગર, 07:03 વાગ્યે ગુંજા, 07:10 વાગ્યે વિસનગર, 07:19 વાગ્યે પુડગામ ગણેશપુરા, 07:25 વાગ્યે રંડાલા, 07:38 વાગ્યે મહેસાણા, 07:50 વાગ્યે જગુદણ, 08:00 વાગ્યે આંબલિયાસણ, 08:11 વાગ્યે ડાંગરવા, 08:19 વાગ્યે ઝુલાસણ, 08:40 વાગ્યે કલોલ અને 09:30 વાગ્યે ગાંધીનગર પહોંચશે.

ટ્રેનોના સંચાલનના સમયસ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેમુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1828548) મુલાકાતી સંખ્યા : 148