રેલવે મંત્રાલય
સાણંદ સ્ટેશન પર નોનઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે
Posted On:
19 MAY 2022 3:31PM by PIB Ahmedabad
અમદાવાદ મંડળના અમદાવાદ-વિરમગામ વિભાગના સાણંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ રહેશે. મંડળ રેલ પ્રવક્તા અમદાવાદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:-
1. તારીખ 20 મે, 2022ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
2. તારીખ 20 મે, 2022ની ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ
3. તારીખ 20 મે, 2022ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
4. તારીખ 21 મે, 2022ની ટ્રેન નંબર ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેનોના સંચાલન,વિરામ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1826671)
Visitor Counter : 124