રેલવે મંત્રાલય

સાણંદ સ્ટેશન પર નોનઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે

Posted On: 19 MAY 2022 3:31PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળના અમદાવાદ-વિરમગામ વિભાગના સાણંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ રહેશે. મંડળ રેલ પ્રવક્તા અમદાવાદના જણાવ્યા મુજબ, ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:-

1. તારીખ 20 મે, 2022ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ

2. તારીખ 20 મે, 2022ની ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ

3. તારીખ 20 મે, 2022ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ

4. તારીખ 21 મે, 2022ની ટ્રેન નંબર ટ્રેન નંબર 22960 જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ

ટ્રેનોના સંચાલન,વિરામ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1826671) Visitor Counter : 124