રેલવે મંત્રાલય

28 એપ્રિલથી 7 મે 2022 દરમિયાન અમદાવાદ-પાલનપુર સેક્શન પર દોહરીકરણ કામકાજને કારણે 5 જોડી ટ્રેનો નિરસ્ત રહેશે

Posted On: 27 APR 2022 5:47PM by PIB Ahmedabad

વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનના ડાંગરવા, આંબલિયાસન અને જગુદણ સ્ટેશનો વચ્ચે દોહરીકણ કામગીરી ચાલતી હોવાને કારણે 28 એપ્રિલથી 7 મે 2022 દરમિયાન મંડળની 5 જોડી ટ્રેનો નિરસ્ત રહેશે. મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે :-

નિરસ્ત ટ્રેનો

1.      ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 29 એપ્રિલ 2022થી 6 મે 2022 સુધી

2.      ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 29 એપ્રિલ 2022થી 6 મે 2022 સુધી

3.      ટ્રેન નંબર 14820 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 30 એપ્રિલ 2022થી 6 મે 2022 સુધી

4.      ટ્રેન નંબર 14819 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 29 એપ્રિલ 2022થી 5 મે 2022 સુધી

5.      ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા ડેમૂ સ્પેશિયલ 28 એપ્રિલ 2022થી 5 મે 2022 સુધી

6.      ટ્રેન નંબર 09432 મહેસાણા-સાબરમતી ડેમૂ સ્પેશિયલ 28 એપ્રિલ 2022થી 5 મે 2022 સુધી. 

7.      ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશિયલ 28 એપ્રિલ 2022થી 6 મે 2022 સુધી. 

8.      ટ્રેન નંબર 09434 પાટણ-સાબરમતી ડેમૂ સ્પેશિયલ 29 એપ્રિલ 2022થી 7 મે 2022 સુધી

9.      ટ્રેન નંબર 09497 ગાંધીનગર-વરેઠા મેમૂ સ્પેશિયલ 28 એપ્રિલ 2022થી 6 મે 2022 સુધી

10.     ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ 29 એપ્રિલ 2022થી 7 મે 2022 સુધી

ટ્રેનો આવવા જવાનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે પેસેન્જર્સ www.enquiry.indianrail.gov.in.પરથી મેળવી શકે છે.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1820600) Visitor Counter : 125