રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી તા.૧૦ એપ્રિલના રોજ જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે


રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી શ્રી આર.સી.મકવાણા, જિલ્લા કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવો રાષ્ટ્રપતિશ્રીને આવકારશે

Posted On: 09 APR 2022 3:57PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી આવતીકાલ તા.૧૦-૦૪-૨૦૨૨ના રોજ જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે. રાષ્ટ્રપતિશ્રી દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે એ અગાઉ સવારે ૧૦:૨૦ કલાકે એરફોર્સ જામનગર ખાતે ટુંકુ રોકાણ કરી દ્વારકા જવા રવાના થશે. 

આ તકે એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિશ્રીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સામાજિક ન્યાય અને અધિકરીતા વિભાગના રાજય મંત્રી શ્રી આર.સી.મકવાણા, કોમોડોર શ્રી મારવાહા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, એર કોમોડોરશ્રી, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો આવકારી રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરશે.

SD/GP/JD



(Release ID: 1815196) Visitor Counter : 154