આદિવાસી બાબતોનું મંત્રાલય

એકતા નગર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા ખાતે ગુજરાત આદિ બજારનું ઉદ્ઘાટન થયું


કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાએ વિડિયો સંદેશ દ્વારા કાર્યક્રમને સુભેચ્છા પાઠવી

Posted On: 26 MAR 2022 8:20PM by PIB Ahmedabad

આદિ બજારોની શ્રેણી સાથે સુસંગત રહેતા, આદિવાસી સંસ્કૃતિ અને ભોજનની ભાવનાની ઉજવણી, ગુજરાતના નર્મદા જિલ્લામાં એકતા નગર, કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અન્ય એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 26મી માર્ચથી શરૂ થયેલા અને 5મી એપ્રિલ સુધી ચાલનાર 11 દિવસીય ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન ડો. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર, ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વિધાન અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી રામસિંહ રાઠવા, ચેરમેન, ટ્રાઇફેડ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

પ્રતિષ્ઠિત સ્મારક, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા 11-દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનમાં 100 થી વધુ સ્ટોલ છે અને તે દેશભરના 10થી વધુ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ પ્રસંગે બોલતા, ડૉ. ડીંડોરે જણાવ્યું હતું કે, "ભારત રત્નસરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રીના પ્રયાસોને કારણે, ભારત એકીકૃત રીતે અસ્તિત્વમાં છે. આથી દેશ માટે સર્વસમાવેશક અને સંયુક્ત રહે તે તેમની મુખ્ય આકાંક્ષાઓમાંની એક હતી. આ મહાન સ્મારક, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા, તે મૂલ્યો રાષ્ટ્રીય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જેનું સરદાર પટેલે સમર્થન કર્યું હતું અને તેની સાથે ઊભા રહ્યા હતા તેનું પ્રમાણપત્ર છે. આ ઉપરાંત આ જિલ્લો મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે. મને એ નોંધતા ખૂબ જ આનંદ થાય છે કે આદિ બજાર- આદિવાસી જીવન, સંસ્કૃતિ અને રીતરિવાજોની ઉજવણી- આ આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં થશે અને સર્વાંગી વિકાસ તરફ દોરી જશે. હું તમને શુભેચ્છા પાઠવું છું.

મને આનંદ છે કે ટ્રાઇફેડ ભારતના આદિવાસીઓની આજીવિકા વધારવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. આદિ બજાર દેશભરની આદિવાસી સંસ્કૃતિને મોટા પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ એક ધમધમતું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસી આકર્ષણ હોવાથી આ ઇવેન્ટને સફળ બનાવવામાં મદદ મળશે.શ્રી રામસિંહ રાઠવા, ચેરમેન ટ્રાઇફેડ, ઉદ્ઘાટન દરમિયાન જણાવ્યું હતું.

સેઇલ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, રાઉરકેલા અને ઓડિશા ખાતે અન્ય આદિ બજાર 30મી માર્ચ અને 8મી એપ્રિલ, 2022ની વચ્ચે યોજાશે. આ આદિ બજારો જે આદિવાસી જીવનના મૂળભૂત સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે તે વંચિત આદિવાસીઓની આજીવિકા સુધારવા માટે ટ્રાઇફેડના સઘન પ્રયાસોનો એક ભાગ છે. જેમને છેલ્લા બે વર્ષમાં મોટી અસર થઈ છે.

11 દિવસના આ ફેસ્ટિવલમાં દેશના 10 રાજ્યોમાંથી આદિવાસી હસ્તકલા, કલા, પેઇન્ટિંગ્સ, ફેબ્રિક અને જ્વેલરીનું પ્રદર્શન-કમ-વેચાણ જોવા મળશે.

ટ્રાઇફેડ, આદિવાસી સશક્તીકરણ તરફ કામ કરતી નોડલ એજન્સી તરીકે, આદિવાસી લોકોની જીવનશૈલી અને પરંપરાને જાળવી રાખીને, તેમની આવક અને આજીવિકા સુધારવામાં મદદ કરતી અનેક પહેલો કરી રહી છે. આદિ બજાર એવી એક પહેલ છે જે આ સમુદાયોના આર્થિક કલ્યાણને સક્ષમ કરવામાં અને તેમને મુખ્ય પ્રવાહના વિકાસની નજીક લાવવામાં મદદ કરે છે.

આ કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, બીજેપી નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, માજી મંત્રી શબ્દ શરણ તડવી, માજી સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા, ભારતીબેન તડવી સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં કેવડીયા અને આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1810064) Visitor Counter : 228