સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક / પેન્શન અદાલત

Posted On: 07 MAR 2022 12:21PM by PIB Ahmedabad

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર),સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380 004ની કચેરી ખાતે તારીખ 07-04-2022 (ગુરુવાર) ના રોજ 11:૦૦ કલાકે પેન્શન અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.

                અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયના પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

                ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદને લગતી પેન્શન સંબંધી ફરિયાદો શ્રી પ્રદીપ કે. નાયર, લેખાધિકારી, પેન્શન સેક્શન, પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380 004ને મોડામાં મોડી તારીખ 25.03.2022 (શુક્રવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે . નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

                ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવિષ્ટના હોવો જોઈએ.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1803510) Visitor Counter : 178