સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ કાર્યરત દિવ્યાંગજન શક્તિકરણ વિભાગ નવી દિલ્હીનો બે દિવસનો કાર્યક્રમ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે

Posted On: 01 MAR 2022 3:21PM by PIB Ahmedabad

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજન શક્તિકરણ વિભાગનો બે દિવસીય કાર્યશાળા 4-5 માર્ચ, 2022 સુધી કેવડિયાના ટેન્ટ સીટી-2 ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્ય શાળાનું ઉદઘાટન ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના માનનીય મંત્રીશ્રી ડૉ. વિરેન્દ્ર કુમારના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોના સશક્તિકરણ તેમજ તેમનું જીવન સરળ બનાવવા માટે સરકારશ્રીની યોજનાઓ વિષે વાકેફ કરવામાં આવશે તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના ગણમાન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ભાગ રૂપે સેલ્ફ હેલ્પ ગ્રુપનું પ્રદર્શન પણ યોજાશે.

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1802079) Visitor Counter : 247