સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડો. મનસુખ માંડવિયા એઈમ્સ રાજકોટના પરાપીપળિયા-ખંઢેરી ખાતેના કાયમી કેમ્પસની 13 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન મુલાકાત લેશે


કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયા એઈમ્સ રાજકોટની સ્થાપનાની પ્રગતિની સમીક્ષા પણ કરશે

Posted On: 11 FEB 2022 5:36PM by PIB Ahmedabad

માનનીય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા 13 ફેબ્રુઆરી, 2022ના રોજ એઈમ્સ રાજકોટના પરાપીપળિયા-ખંઢેરી ખાતેના કેમ્પસની પ્રગતિની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે. તેમની નિયત મુલાકાત અંદાજે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે.

નિરીક્ષણ દરમિયાન, માનનીય મંત્રીને કેમ્પસની મુલાકાતે લઈ જવાશે, જેમાં તેના ‘ધર્મશાળા’બિલ્ડિંગમાં તાજેતરમાં શરૂ થયેલ ઓપીડીની મુલાકાત સામેલ રહેશે અને તેના પછી પ્રોજેક્ટના વિવિધ પાસાઓ અને સ્થિતિ વિશેનું વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. માનનીય મંત્રીની સાથે જાહેર પ્રતિનિધિઓ અને જિલ્લા તંત્રના અધિકારીઓ પણ જોડાશે. તેઓનું એઈમ્સ રાજકોટ ખાતે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર (એડમિનિસ્ટ્રેશન), ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1797678) Visitor Counter : 193