સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની દિર્ઘદ્રષ્ટીને કારણે જ દુનિયાની વિશાળ પ્રતિમા સૌથી ઓછા સમયમાં તૈયાર થઇ છેઃ શ્રી રામદાસ અઠાવલે, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા


કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રીશ્રી રામદાસ અઠાવલેએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમા ભાવાંજલી અર્પી

Posted On: 16 JAN 2022 5:09PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રીશ્રી રામદાસ અઠાવલેએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા  મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુ છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની દીર્ઘદ્રષ્ટિને કારણે જ દુનિયાની વિશાળ પ્રતિમા સૌથી ઓછા સમયમાં તૈયાર થઇ છે

તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાયી આદિવાસી સમાજને પણ સિધી રોજગારી મળી છે જે માનનીય પ્રધાનમંત્રી શ્રીના પ્રયત્નોને કારણે શકય બન્યુ છે. કેવડીયાનો સાર્વત્રિક વિકાસ જોઈને ખૂબ ખુશી થઈ છે.સાથે જ તેમને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પનાના પણ વખાણ કર્યા.

મંત્રી શ્રી અઠાવલેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો.

તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

મંત્રીશ્રીનું આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જે બાદ મંત્રીશ્રી અઠાવલેએ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી શ્રી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર શ્રી નિલેશ દુબે એ કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ અઠાવલેને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

SD/GP/JD



(Release ID: 1790340) Visitor Counter : 166