સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ સેવાઓને લગતી સમસ્યાઓના નિરાકરણ અર્થે ડાક અદાલતનું આયોજન

Posted On: 23 DEC 2021 3:03PM by PIB Ahmedabad

ભારતીય ટપાલ વિભાગ ડાક સેવાઓને લગતી નાગરિકોની સમસ્યાઓ અને ફરિયાદોના નિરાકરણના હેતુથી ડાક અદાલતનું આયોજન કરી રહ્યો છે. વર્ષ 2021ની તૃતિય ડાક અદાલતનુ આયોજન તા. 30 ડિસેમ્બર, 2021ના રોજ સવારે 11.00 વાગ્યે પોસ્ટ માસ્ટર જનરલ , સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવ્યું છે.

આ ડાક અદાલત દ્વારા લોકોની ફરિયાદોનો વ્યાજબી રીતે નિકાલ કરવાનો ઉદ્દેશ છે અને આ માટે પોસ્ટ માસ્ટર જનરલ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે તથા ફરિયાદ અંગે યોગ્ય નિરાકરણ આપશે. આથી ટપાલ સેવાઓને સંબંધિત ફરિયાદો શ્રી કે. એસ. શુક્લ, સહાયક નિદેશનક ડાક સેવાઓ, પોસ્ટ માસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ને તા. 27 ડિસેમ્બર, 2021 સુધીમાં મળી જાય એ રીતે મોકલવાની રહેશે. આ તારીખ પછી મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

સામાન્ય પ્રકારની ફરિયાદો અને નીતિ વિષયક બાબતોની ફરિયાદો કે નીતિ વિષયક બાબતોની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે નહીં તથા ફરિયાદો કોઈ એક મુદ્દા પર જ આપવાની રહેશે. એકથી વધુ મુદ્દાની ફરિયાદ પર ધ્યાન આપવામાં આવશે નહીં.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1784561) Visitor Counter : 184