રેલવે મંત્રાલય

10 ડિસેમ્બર 2021ની અમદાવાદ-પુરી એક્સપ્રેસ અને ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Posted On: 08 DEC 2021 5:28PM by PIB Ahmedabad

પૂર્વ તટ રેલવે પર સંબલપુર ડિવિઝનના સંબલપુર- ટિટલાગઢ સેક્શન પર નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની અમદાવાદ-પુરી એક્સપ્રેસ અને ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છેઃ-

1. તા.10 ડિસેમ્બર 2021ના રોજ ટ્રેન નંબર 20862 અમદાવાદ-પુરી એક્સપ્રેસ  ટ્રેન તેના નિર્ધારિત રૂટ ટિટલાગઢ - સંબલપુર - અંગુલને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ટિટલાગઢ - વિજયનગરમ - ખુરદા રોડ થઈને દોડશે.

2. તા.8 ડિસેમ્બર 2021ના રોજ ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ  અંગુલ- સંબલપુર - ટિટલાગઢ ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ખુરદા રોડ -વિજયનગરમ-ટિટલાગઢ થઈને દોડશે.

3. તા.10 ડિસેમ્બર 2021ના રોજ ટ્રેન નં.12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ટિટલાગઢ - સંબલપુર - અંગુલને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ટિટલાગઢ - વિજયનગરમ - ખુરદા રોડ થઈને દોડશે.

4. તા.13 ડિસેમ્બર 2021ના રોજ ટ્રેન નં.12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ  અંગુલ- સંબલપુર - ટિટલાગઢ ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ખુરદા રોડ -વિજયનગરમ-ટિટલાગઢ થઈને દોડશે.

યાત્રીઓ ટ્રેનોના પરિચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.

SD/GP/JD



(Release ID: 1779357) Visitor Counter : 97