રેલવે મંત્રાલય
10 ડિસેમ્બર 2021ની અમદાવાદ-પુરી એક્સપ્રેસ અને ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
Posted On:
08 DEC 2021 5:28PM by PIB Ahmedabad
પૂર્વ તટ રેલવે પર સંબલપુર ડિવિઝનના સંબલપુર- ટિટલાગઢ સેક્શન પર નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની અમદાવાદ-પુરી એક્સપ્રેસ અને ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
1. તા.10 ડિસેમ્બર 2021ના રોજ ટ્રેન નંબર 20862 અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ટિટલાગઢ - સંબલપુર - અંગુલને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ટિટલાગઢ - વિજયનગરમ - ખુરદા રોડ થઈને દોડશે.
2. તા.8 ડિસેમ્બર 2021ના રોજ ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અંગુલ- સંબલપુર - ટિટલાગઢ ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ખુરદા રોડ -વિજયનગરમ-ટિટલાગઢ થઈને દોડશે.
3. તા.10 ડિસેમ્બર 2021ના રોજ ટ્રેન નં.12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ટિટલાગઢ - સંબલપુર - અંગુલને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ટિટલાગઢ - વિજયનગરમ - ખુરદા રોડ થઈને દોડશે.
4. તા.13 ડિસેમ્બર 2021ના રોજ ટ્રેન નં.12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અંગુલ- સંબલપુર - ટિટલાગઢ ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ખુરદા રોડ -વિજયનગરમ-ટિટલાગઢ થઈને દોડશે.
યાત્રીઓ ટ્રેનોના પરિચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.
SD/GP/JD
(Release ID: 1779357)
Visitor Counter : 97