સંરક્ષણ મંત્રાલય

ભૂજ એરફોર્સ સ્ટેશન દ્વારા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવ્યું

Posted On: 31 OCT 2021 4:27PM by PIB Ahmedabad

દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીને આગળ વધારીને ભૂજ એરફોર્સ સ્ટેશન દ્વારા 31 ઓક્ટોબર 2021ના રોજ 7.5 કિમીની એકતા દોડ (યુનિટી રન)નું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ (AOC) એર કોમોડોર મલુકસિંહ, વિશિષ્ટ સેવા મેડલ દ્વારા સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

અંદાજે 700 વાયુ યોદ્ધાઓ, NCs(E), DSC કર્મીઓ અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય એકતાના મહત્વને પ્રોત્સાહન આપતા વાક્યો અને સંદેશાઓ લખેલા પ્લેકાર્ડ તેમજ બેનર સાથે દોડમાં જોડાયા હતા. બાદમાં, AOCએ વિવિધ શ્રેણીમાં વિજેતાઓને ચંદ્રકો અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા હતા અને તમામ સહભાગીઓને તેમણે આપેલા પ્રેરણાદાયી સંબોધન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

SD/GP/JD



(Release ID: 1768146) Visitor Counter : 104