રેલવે મંત્રાલય
હઝરત નિઝામુદ્દીન - અર્નાકુલમ દુરંતો સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં વધારાના થર્ડ એસી અને સ્લીપર કોચ હશે
પોસ્ટેડ ઓન:
25 OCT 2021 7:38PM by PIB Ahmedabad
ટ્રેન નંબર 02283/02284 (મૂળ નંબર 12283/12284) હઝરત નિઝામુદ્દીન - અર્નાકુલમ દુરંતો સુપરફાસ્ટ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી 23 ઓક્ટોબર 2021થી 16 એપ્રિલ 2022 સુધી અને અર્નાકુલમ થી 26 મી ઑક્ટોબર થી 19 એપ્રિલ 2022 સુધી, આગામી છ મહિના માટે એક થર્ડ એસી અને બે સ્લીપર ક્લાસ કોચ અસ્થાયી રૂપે ઉમેરવામાં આવી રહ્યા છે. આ કોચના ઉમેરા સાથે, આ સમયગાળા દરમિયાન આ ટ્રેનમાં કુલ 19 કોચ હશે.
સ્પેશિયલ ટ્રેનોના સંચાલનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે આ વિશેષ ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1766398)
મુલાકાતી સંખ્યા : 180