રેલવે મંત્રાલય
રાજકોટ-કોઈમ્બતુર વિશેષ ટ્રેનને યલહાંકા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી
Posted On:
20 OCT 2021 11:49PM by PIB Ahmedabad
મુસાફરોની માંગ અને સુવિધા માટે રેલવે વહીવટીતંત્ર દ્વારા રાજકોટ-કોઈમ્બતુર સાપ્તાહિક વિશેષ ટ્રેનને 24 ઓક્ટોબર, 2021થી 20 ફેબ્રુઆરી, 2022 સુધી યલહાંકા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત સમયગાળા દરમિયાન આ ટ્રેન બપોરે 12.35 વાગ્યે યલહાંકા સ્ટેશન પર પહોંચશે અને 12.36 વાગ્યે ઉપડશે. મુસાફરો વિશેષ ટ્રેનોના સ્ટોપેજ, સમય અને ઓપરેશનલ દિવસો વિશે માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in ની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1765317)
Visitor Counter : 76