રેલવે મંત્રાલય

રાજકોટ ડિવિઝનના વાંકાનેર-દલડી સ્ટેશનો વચ્ચે ડબલિંગને કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થશે


14 થી 26 ઓક્ટોબર 2021 સુધી જામનગર-વડોદરા ઇન્ટરસિટી સ્પેશિયલ રદ રહેશે

Posted On: 12 OCT 2021 9:32PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના વાંકાનેર-દલડી સ્ટેશનો વચ્ચે ડબલિંગને  કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. જેની વિગત નીચે મુજબ છે.

રદ્દ ટ્રેનો

1.તા.14 થી 26 ઓક્ટોબર 2021 સુધી ટ્રેન નંબર 02960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી સ્પેશિયલ રદ રહેશે.

2. તા.13 થી 25 ઓક્ટોબર 2021 સુધીટ્રેન નંબર 02959 વડોદરા જામનગર ઇન્ટરસિટી સ્પેશિયલ  રદ રહેશે.

રીશિડ્યુલ ટ્રેનો

- તા.14 અને 21 ઓક્ટોબર 2021 ના રોજ, ટ્રેન નંબર 09069 ઓખા-વારાણસી સ્પેશિયલ ઓખાથી 2:20 કલાકના વિલંબ સાથે 16:25 વાગ્યે ઉપડશે.

રૂટમાં મોડી દોડનારી ટ્રેનો.

1. તા.15 ઓક્ટોબર 2021 ના રોજ ટ્રેન નંબર 05045 ગોરખપુર-ઓખા સ્પેશિયલ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ રહેશે.

2.તા.19 ઓક્ટોબર 2021 ના રોજ ટ્રેન નંબર 09238 રીવા-રાજકોટ સ્પેશિયલ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ રહેશે.

3. તા.19 ઓક્ટોબર 2021 ના રોજ ટ્રેન નંબર 09567 તુતીકોરિન-ઓખા સ્પેશિયલ ટ્રેન માર્ગમાં એક કલાક રેગ્યુલેટ રહેશે

4. તા.22 ઓક્ટોબર 2021 ના રોજ ટ્રેન નંબર 05045 ગેરખપુર -ઓખા સ્પેશિયલ ટ્રેન માર્ગમાં 1કલાક 20 મિનિટ રેગ્યુલેટ રહેશે

5. તા.22 ઓક્ટોબર 2021 ના રોજ ટ્રેન નંબર 09124 જામનગર - બાંદ્રા ટર્મિનસ હમસફર સ્પેશિયલ માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ રહેશે.

મુસાફરો આ ટ્રેનોના સ્ટોપેજ, પરિચાલન સમય, સંરચના, ફ્રીક્વન્સી અને સંચાલનના દિવસો અંગેની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 સંબંધિત તમામ માપદંડો અને એસઓપીનું પાલન કરવા વિનંતી છે.

SD/GP/JD



(Release ID: 1763385) Visitor Counter : 134