રેલવે મંત્રાલય

ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 6 (જગતપુર ફાટક) તથા ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 7 જનતા નગર (ઘાટલોડિયા) રિપેર કામ માટે બંધ રહેશે

Posted On: 28 SEP 2021 3:22PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પરના ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 6 (જગતપુર ફાટક) અમદાવાદ - વિરમગામ સેક્શનના ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશન વચ્ચે સ્થિત અને રેલવે ક્રોસિંગ નંબર 7 જનતા નગર (ઘાટલોડિયા) રિપેર કામ માટે બંધ રહેશે. જેની વિગત નીચે મુજબ છે.

  1. તા.28 અને 29 સપ્ટેમ્બર 2021 ના રોજ (2 દિવસ માટે) રિપેર અને મેન્ટેનન્સ ના કામ માટે ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 6 (જગતપુર ફાટક) કિમી (510/6-7) બંધ રહેશે. આ રસ્તાના ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 3 (ગોતા ફાટક) થી અવરજવર કરી શકશે.
  2. તા.30 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર 2021 સુધી (4 દિવસ માટે) રિપેર અને મેન્ટેનન્સ કામ માટે અમદાવાદ-વિરમગામ સેક્શનના ચાંદલોડિયા અને આંબલી રોડ સ્થિત રેલવે ક્રોસિંગ નં. 7 કિમી (507/15-508-1) જનતા નગર પાસે (ઘાટલોડિયા) ) બંધ રહેશે. આ રસ્તાના ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન ચાણક્યપુરી ROB કિમી (506/8-9) અને ઘાટલોડિયા ROB કિમી (508/8-9) થી અવરજવર કરી શકશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1758923) Visitor Counter : 164