રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળના સાબરમતી-ખોડિયાર સ્ટેશનોની વચ્ચે ત્રણ રેલવે ક્રોસિંગ બંધ રહેશે Inb

Posted On: 25 SEP 2021 5:04PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સાબરમતી-મહેસાણા વિભાગના સાબરમતી-ખોડિયાર સ્ટેશનની વચ્ચેના ઓવરહોલિંગ કામને કારણે રેલવે ક્રોસિંગ નંબર 241, રેલવે ક્રોસિંગ નંબર 240 અને રેલવે ક્રોસિંગ નંબર 239 બંધ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

 

1. તારીખ 25 અને 26 સપ્ટેમ્બર 2021 ના રોજ રેલવે ક્રોસિંગ નંબર 241 (ઉમા ભવાની ફાટક) કિમી 774/23-25 બંધ રહેશે. માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ 242 દ્વારા અવર જવર કરી શકે છે.

2. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ના રોજ રેલવે ક્રોસિંગ નંબર 240 (ત્રાગઢ ફાટક) કિમી 773/3-5 બંધ રહેશે. માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ 241 દ્વારા અવર જવર કરી શકે છે.

3. તારીખ 29 અને 30 સપ્ટેમ્બર 2021 ના રોજ રેલવે ક્રોસિંગ નંબર 239 (ખોરાજગામ ફાટક) 771/7-9 બંધ રહેશે. માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન એસજી હાઇવે અને ખોરાજ નાલા દ્વારા અવર જવર કરી શકે છે.



(Release ID: 1758054) Visitor Counter : 135