રેલવે મંત્રાલય
મંડળ રેલવે પ્રબંધક કાર્યાલય અમદાવાદ ખાતે રસીકરણનું આયોજન
Posted On:
22 SEP 2021 8:29PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર કોવિડ -19 થી સંપૂર્ણપણે મુક્ત કરવાના હેતુથી મંડળના મંડળ રેલવે મેનેજર શ્રી તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવારોને 100% રસીકરણ આપવાના ઉદ્દેશ સાથે મંડળ કાર્યાલય ખાતે આજે 22.09.2021 ના રોજ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંડળ રેલવે પ્રવક્તા, અમદાવાદએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મંડળ હોસ્પિટલ-અમદાવાદ, અમદાવાદ સ્ટેશન સહિત અન્ય સ્ટેશનો અને તમામ રેલવે કર્મચારીઓ માટે મંડળ કચેરીમાં ખાસ રસીકરણ શિબિર લગાવવામાં આવી હતી તથા તેમના પરિવારોને આ મહામારીમાંથી છુટકારો મેળવવા માટે આ કાર્ય કરવામાં આવ્યું હતું. ડીઆએમ શ્રી જૈને રસીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, રસી આપણા જીવન માટે ફાયદાકારક છે. તેમણે તમામ રેલવે કર્મચારીઓને રસીના બંને ડોઝ લેવા પ્રેરિત કર્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1757084)
Visitor Counter : 87