માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ગુજરાતના ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી


1,380 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે: શ્રી નીતિન ગડકરી

Posted On: 17 SEP 2021 3:35PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે ગુજરાતના ભરૂચમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (DME) ની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે તે સ્થળનું પણ નિરીક્ષણ કર્યું જ્યાં ફેબ્રુઆરી 2021માં એક દિવસમાં સૌથી ઝડપી માર્ગ નિર્માણનો વિશ્વ વિક્રમ રચાયો હતો.

 

મંત્રી શ્રીએ સમીક્ષા બેઠક બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે 98,000 કરોડના ખર્ચે તૈયાર થતો આ 1,380 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. તેનાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે જોડાણ વધશે. દિલ્લી - મુંબઈ  મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાક થઈ જશે. આ ઉપરાંત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના છ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત જેવી આર્થિક કેન્દ્રો સાથે જોડાણ સુધારવાની સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે.

 

મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 423 કિલોમીટરનો 8 લેનનો એક્સપ્રેસ-વે કુલ રૂ. 35,100 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી 390 કિલોમીટરનો કોન્ટ્રાક્ટ પહેલેથી જ આપવામાં આવ્યો છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે. દિલ્હી-વડોદરા વિભાગ અને વડોદરા-મુંબઈ વિભાગ રાજ્યમાંથી પસાર થશે. ગુજરાત દેશનું એક મોટું આર્થિક કેન્દ્ર છે અને દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડના નગરો અને શહેરોને જોડાણ પૂરું પાડવા માટે રાજ્યભરમાં અનેક આંતર -પરિવર્તનની યોજના બનાવવામાં આવી છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે. ગુજરાત રાજ્યમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને 8 રેલ્વે ઓવરબ્રીજનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે સમગ્ર એક્સપ્રેસ વેનો એક મોટો વિભાગ, વડોદરા-અંકલેશ્વરનો 100 કિમીનો વિભાગ બાંધકામના અદ્યતન તબક્કામાં છે અને માર્ચ 2022 સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો લક્ષ્યાંક છે. માર્ચ 2023 સુધીમાં અંકલેશ્વરથી તલસારી સુધીનો બાકીનો વિભાગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. 2 કિલોમીટર લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ, એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ 8-લેન પુલ હશે. આનાથી ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ વે વિકાસની ઓળખને નવી ગતિ મળશે. રાજ્યમાં રોજગારીની તકો ઉભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 33 રોડસાઇડ ફેસિલિટીઝ (WSAs) નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની સાથે સાથે ગુજરાતમાં અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે બની રહ્યો છે, જે 762 કિલોમીટરનો 6 લેનનો એક્સપ્રેસ વે હશે. આ 19,000 કરોડા રૂપિયાના ખર્ચે બનનાર આ એક્સપ્રેસ વેથી કંડલા પોર્ટનું મહત્વ વધી જશે. આ એક્સપ્રેસ વે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને જોડશે. જેમાં ગુજરાતમાં 126 કિલોમીટરનો એક્સપ્રેસ વે બનશે. આવનારા દોઢ વર્ષમાં તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ત્રીજો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે 3000 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે, જે 109 કિલોમીટર લાંબો હશે. જે ગુજરાત માટે ઘણો મહત્વનો છે. ગુજરાતમાં આશરે 25000 કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ યોજના બનાવીઓ રહ્યા છીએ.

કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને NHAIના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

SD/GP/BT



(Release ID: 1755732) Visitor Counter : 280