ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિર્ણયને આવકાર્યો
"દેશના સર્વોચ્ચ રમત સન્માન 'ખેલ રત્ન એવોર્ડ' દેશના મહાન રમતવીર મેજર ધ્યાનચંદજીના નામે રાખવો એ સાચી શ્રદ્ધાંજલિ"
"રમત જગત સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે આ ગૌરવપૂર્ણ નિર્ણય છે, હું આ માટે તમામ દેશવાસીઓ વતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું."
“મને પૂરો વિશ્વાસ છે કે 'મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ' દેશના દરેક ખેલાડીને હોકીના જાદુગર ધ્યાનચંદજીના રાષ્ટ્રને સમર્પણ, તેમનું મૂલ્ય વધારવાના તેમના સંકલ્પ અને તિરંગો ઉંચો કરવા માટે તેમની ઐતિહાસિક સિદ્ધિઓથી પ્રેરિત થઈ વિશ્વ રમત જગતમાં તિરંગાને વધુ ઉંચાઈ સુધી લઈ જશે.
Posted On:
06 AUG 2021 4:05PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડના નિર્ણયને આવકાર્યો છે. પોતાના ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું કે, "દેશના મહાન રમતવીર મેજર ધ્યાનચંદજીના નામે દેશના સર્વોચ્ચ રમત સન્માન 'ખેલ રત્ન પુરસ્કાર' માટે સાચી શ્રદ્ધાંજલિ છે. રમત જગત સાથે સંકળાયેલા દરેક માટે આ એક ગૌરવપૂર્ણ નિર્ણય છે. હું આ માટે તમામ દેશવાસીઓ તરફથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું.
ગૃહમંત્રીએ કહ્યું કે, "મને પૂરો વિશ્વાસ છે કે 'મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ' દેશના દરેક ખેલાડીને હોકીના જાદુગર ધ્યાનચંદજીના રાષ્ટ્રને સમર્પણ, તેમનું મૂલ્ય વધારવાના તેમના સંકલ્પ અને તેમની ઐતિહાસિક સિદ્ધિઓથી પ્રેરિત થઈ વિશ્વ રમત જગતમાં તિરંગાને વધુ ઉંચાઈ સુધી લઈ જશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1743186)
Visitor Counter : 168