સંરક્ષણ મંત્રાલય

ભારતીય વાયુ સેના દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'આઝાદીનો અમૃત મહોત્સવ' બેન્ડ કોન્સર્ટનું આયોજન

Posted On: 02 AUG 2021 3:34PM by PIB Ahmedabad

ભારતીય વાયુ સેના દ્વારા 04 ઑગસ્ટ 2021ના રોજ સાંજે 6 વાગે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'આઝાદીનો અમૃત મહોત્સવ'ની ઉજવણી કરવા માટે એક બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્સર્ટનું આયોજન પ્રગતિશીલ ભારતના 75 વર્ષ અને તેના ભવ્ય વારસાની ઉજવણીરૂપે થઇ રહ્યું છે.આ શો કોરોના યોદ્ધાઓને સમર્પિત રહેશે.

    IAF બેન્ડમાં 25 મ્યુઝિશીયન રહેશે જેઓ સાબરમતી રિવરફ્રન્ટના આલ્હાદક અને મનોરમ્ય માહોલમાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. બેન્ડ દ્વારા કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટલ ગીતો ઉપરાંત કર્ણપ્રિય શૌર્ય અને દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન કોવિડ યોદ્ધાઓના એક ગ્રૂપનું સન્માન પણ કરવામાં આવશે.



(Release ID: 1741495) Visitor Counter : 190