સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ ખાતાના સેવા નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનું આયોજન

Posted On: 22 JUL 2021 4:52PM by PIB Ahmedabad

ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. પેન્શન અદાલતનું આયોજન તા. 23-07-2021ના રોજ સવારે 11.00 કલાકે પોસ્ટર માસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળષ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નોનું આપ શ્રી આર. એસ. સિસોદીયા, હિસાબી અધિકારી, પોસ્ટર માસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી 3 જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ને સમયસર મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહિ.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1737772) Visitor Counter : 147