રેલવે મંત્રાલય

06 જુલાઈથી ગાંધીધામ - જોધપુર સ્પેશિયલ ટ્રેન સેવા ફરી શરૂ

Posted On: 03 JUL 2021 8:35PM by PIB Ahmedabad

રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ - જોધપુર સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે: -

1. ટ્રેન નંબર 02484 ગાંધીધામ-જોધપુર સ્પેશિયલ 06 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે દોડશે.

2. ટ્રેન નંબર 02483 જોધપુર - ગાંધીધામ સ્પેશિયલ 05 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી આગામી સોમવાર, બુધવાર અને શનિવારે દોડશે.

મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1732553) Visitor Counter : 132