રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મજયંતિ ઉજવવામાં આવી

Posted On: 15 APR 2021 10:52AM by PIB Ahmedabad

અમદાવાદ મંડળ પર ભારતરત્ન અને સંવિધાન નિર્માતા બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરની 130 મી જન્મજયંતિ ઊજવવામાં આવી. મંડળ રેલ પ્રબંધક કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી તથા મંડળ કાર્મિક અધિકારી શ્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાબાસાહેબ ના ચિત્ર ને માલ્યાપર્ણ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. અવસર પર ડીઆરએમ શ્રી ઝા જણાવ્યું કે આપણે સર્વ બાબાસાહેબ આંબેડકર ના વિચારોનું અનુસરણ કરીને સમતામુલક સામાજિક સ્થાપના માટે નિરંતર પ્રયાસરત રેહવું જોઈએ. તેમણે સમાજમાં સમરસતા લાવવા, ભેદભાવ નાબૂદ કરવા તથા આને શક્તિશાળી બનાવવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું અને અસમાનતા તથા અન્યાય વિરુદ્ધ જીવનભર સંઘર્ષ કર્યું. કાર્યક્રમ નું સંચાલન સહાયક કાર્મિક અધિકારી શ્રી બાદલ એન. રાજવંશી દ્વારા કરવામાં આવ્યું હતું.



(Release ID: 1712178) Visitor Counter : 118