રેલવે મંત્રાલય

કટરાથી આવવાવાળી શ્રી વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ સ્પેશિયલ આગળની સૂચના સુધી સાબરમતી સ્ટેશન પર ટર્મીનેટ રહેશે.

Posted On: 09 MAR 2021 7:08PM by PIB Ahmedabad

અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 અને 10 પર બાંધકામની કામગીરી માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવ્યું છે. તે મુજબ કટરાથી આવવાવાળી ટ્રેન નં. 09416 શ્રી વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ સ્પેશિયલ 9 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી સાબરમતી સ્ટેશન પર અસ્થાયી રૂપે શોર્ટ ટર્મીનેટ કરવામાં આવશે અને ટ્રેન નંબર 09415 અમદાવાદ-શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ અમદાવાદ સ્ટેશનથી દોડશે.



(Release ID: 1703669) Visitor Counter : 72