રેલવે મંત્રાલય

લોકડાઉનને કારણે મુસાફરોની આવકનું નુકસાન

Posted On: 07 JAN 2021 10:20PM by PIB Ahmedabad

કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલ્વે પર કુલ આવકનું નુકસાન લગભગ રૂ 3702 કરોડ થયું છે, જેમાં ઉપનગરીય સેક્શન માટે 596 કરોડ અને બિન-ઉપનગરીય માટે રૂ.3106 કરોડનો સમાવેશ થાય છે.આમ છતાં, 1 માર્ચ 2020 થી 4 જાન્યુઆરી 2021 સુધી ટિકિટ રદ કરવાના પરિણામે, પશ્ચિમ રેલ્વેએ 564.81 કરોડ રૂપિયા.નું રિફંડ સુનિશ્ચિત કરેલ છે.ઉલ્લેખનીય છે કે આ રિફંડ રકમમાં માત્ર મુંબઇ ડિવિઝનને રૂ .278 કરોડથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે.અત્યાર સુધીમાં પશ્ચિમ રેલ્વેમાં લગભગ 88.47 લાખ મુસાફરોએ ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમને પરતની રકમ પ્રાપ્ત થઈ છે.



(Release ID: 1686958) Visitor Counter : 98