સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલત

Posted On: 21 DEC 2020 3:51PM by PIB Ahmedabad

ભારત સરકારના પોસ્ટ વિભાગમાં આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને જાણ કરવામાં આવે છે કે ‘એએમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન તારીખ 31/12/2020ના રોજ 15:00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનની કચેરી, આશ્રમરોડ, અમદાવાદ- 380 0૦9 ખાતે કરવામાં આવેલ છે.  

આ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે તારીખ 24/12/2020 સુધીમાં શ્રીમતી પી.બી.શાહ, આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનની કચેરી, આશ્રમરોડ, અમદાવાદ- 380 0૦9ને મળી જાય તે રીતે મોકલી આપવી.

 

SD/GP/BT 



(Release ID: 1682385) Visitor Counter : 70