માહિતી અને પ્રસારણ મંત્રાલય

અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના નિવૃત્ત સંયુક્ત સમાચાર નિદેશક શ્રી યશવંત પી. સોલંકીનું અવસાન

Posted On: 23 OCT 2020 2:23PM by PIB Ahmedabad

અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના નિવૃત્ત સંયુક્ત સમાચાર નિદેશક શ્રી યશવંત પી. સોલંકીનું 73 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે અવસાન થયુ છે. ભારતીય માહિતી સેવામાં જોડાયા બાદ તેમણે કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી પ્રોજેક્ટથી માંડી ડાયરેક્ટોરેટ ઑફ ફિલ્ડ પબ્લિસિટી, યોજના મેગેઝિન, પી.આઈ.બી. તથા દૂરદર્શનમાં કામગીરી બજાવી હતી. મિલનસાર સ્વભાવ અને સાવ સરળ વ્યક્તિત્વ ધરાવતા સ્વર્ગસ્થ સોલંકીએ કારકિર્દી દરમિયાન વિવિધ પદો સંભાળી પ્રગતિ હાંસલ કરી હતી.

તેઓ અમદાવાદ દૂરદર્શનમાં સમાચાર વિભાગના વડા તરીકે છેલ્લે 2007ની સાલમાં નિવૃત્ત થયાં હતાં. મુંબઈ દૂરદર્શનમાં મરાઠી બુલેટિનના સંપાદક તરીકે પણ ફરજ બજાવી હોવાથી તેમનું મરાઠી ભાષાનું જ્ઞાન પણ સારું હતું.

 

SD/GP/BT



(Release ID: 1667002) Visitor Counter : 101