સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક/પેન્શન અદાલત

Posted On: 09 OCT 2020 4:08PM by PIB Ahmedabad
ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), “સ્પીડપોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ની કચેરી ખાતે તારીખ २८.૧૦.૨૦૨૦ (બુધવાર) ના રોજ ૧૧:૦૦ કલાકે ડાક અદાલત અને ૧૫:૦૦ કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. 

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની અમદાવાદ ક્ષેત્રને લગતી ટપાલ સેવાઓ અને પોસ્ટલ પેન્શનના અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી વી.કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ફરિયાદ અને સ્થાપના), કંપ્લેઇન્ટ સેક્સન, પોસ્ટમાસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ અને પેન્શનને લગતી ફરિયાદો શ્રી ઓ.પી.મિશ્રા, લેખાધિકારી, લેખા & પેન્શન સેક્શન, પોસ્ટમાસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ને મોડામાં મોડી તારીખ ૨૬.૧૦.૨૦૨૦ (સોમવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. 

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવિષ્ટ ના હોવો જોઈએ.



(Release ID: 1663116) Visitor Counter : 102