સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 01 OCT 2020 3:52PM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સરક્લની કચેરી, ખાનપુર, અમદાવાદ- 380001 ખાતે તા. 16-10-2020ને શુક્રવારના રોજ સવારે 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમા નીતિ વિષયક મુદ્દા સિવાયના ટપાલ સેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સંબંધી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (વિજીલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380 001ને મોડામાં મોડી તારીખ 09-10-2020 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દોની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિં.

 

SD/GP/BT



(Release ID: 1660627) Visitor Counter : 101