સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 10 AUG 2020 5:40PM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેરી વિભાગ, અમદાવાદ-380 009ની કચેરી ખાતે તા. 21-8-2020ના રોજ સવારે 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રુપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે.

અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મનીઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), આકાશવાણી ઓફિસની પાછળ, ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – 380 009ને મોકલવી જેથી નિયત તારીખ 15-8-2020 સુધી અત્રે કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહિં.

ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહિં. તદુપરાંત ફરિયાદની એક અરજીમાં એક કરતાં વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહિં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.

SD/GP/BT



(Release ID: 1644825) Visitor Counter : 105