માહિતી અને પ્રસારણ મંત્રાલય
પ્રકાશન વિભાગ દ્વારા રાજકોટમાં પુસ્તક પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન
Posted On:
12 OCT 2019 6:16PM by PIB Ahmedabad
માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જ્યંતી નિમિત્તે પુસ્તક પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ગાંધીજી, સ્વાતંત્ર્ય સન્ગ્રામ, ભારત, સામાન્ય જ્ઞાન, બાળ સાહિત્ય અને અન્ય વિષયો પરના વિવિધ પુસ્તકો મળશે.
પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન “મહાત્મા ગાંધી મ્યુઝીયમ, જ્યુબલી ચોક, જવાહર રોડ, રાજકોટ”માં તા. ૧૨ થી ૧૮ ઓક્ટોબર, 2019 સુધી સવારે 10 વાગ્યા થી સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધી કરેલું છે. પુસ્તકો પર ખાસ 10 થી 90 ટકા સુધીનું વળતર આપવામાં આવશે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ ઉદઘાટન આજે (૧૨ ઓક્ટોબર) પ્રદર્શનનું કર્યું હતું. ધારાસભ્યો શ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રી લાખાભાઇ સાગઠીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રકાશન વિભાગ મહત્વના સામાજિક-આર્થિક અને વિકાસના વિષયો પર સામયિકો બહાર પાડે છે, જેવા કે યોજના, કુરુક્ષેત્ર, બાલ ભારતી, આજકલ અને રોજગાર સમાચાર. સામયિકો કોલેજો, પુસ્તકાલયો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થઈ શકે છે. આ સમયિકો પણ અહિં ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે સંપર્ક કરવા ફોન નં. છે: ૦૭૯-૨૬૫૮૮૬૬૯ (સોમ-શુક્ર) અને ઈ-મેઈલ છે: yojanagujarati[at]gmail[dot]com
પ્રદર્શન બાદ પણ વળતર કાયમી ધોરણે આ સરનામાં પર મળશે: યોજના ઓફીસ, પ્રકાશન વિભાગ, C/o. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો, બીજો માળ, અખંડાનંદ હોલ, CNI ચર્ચ પાસે, મધર ટેરેસા રોડ, ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૧.
*****
(Release ID: 1587924)
Visitor Counter : 215