PIB Headquarters

પ્રકાશન વિભાગ દ્વારા પુસ્તક પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન

Posted On: 14 AUG 2019 4:33PM by PIB Ahmedabad

અમદાવાદ 14-08-2019

માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા સ્વતન્ત્રતા દિવસ નિમિત્તે પુસ્તક પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. પીઆઇબી અમદાવાદ કાર્યાલય ખાતે આયોજિત આ પ્રદર્શનમાં ગાંધીજી, સ્વાતંત્ર્ય સંગ્રામ, ભારત, સામાન્ય જ્ઞાન, બાળ સાહિત્ય અને અન્ય વિષયો પરના વિવિધ પુસ્તકો મળશે.

પ્રકાશન વિભાગ મહત્વના રાષ્ટ્રીય અને સામાજિક વિષયો પર સમયિક બહાર પાડે છે, જેવા કે યોજના, આજકાલ, કુરુક્ષેત્ર, બાલ ભારતી અને રોજગાર સમાચાર. વર્ષ 2019ના સામયિકો કોલેજો, પુસ્તકાલયો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થઈ શકે છે, આ સમયિકો પણ અહિં ઉપલબ્ધ છે.

  

પ્રદર્શન-સહ-વેચાણ તા. 13 થી 23 ઓગષ્ટ, 2019 સુધી ચાલશે. પ્રદર્શન-સહ-વેચાણનું સ્થળ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કાર્યાલય, બીજો માળ, અખંડાનંદ હોલ, ભદ્ર, અમદાવાદ, સમય સવારે 10 વાગ્યા થી સાંજે 05.30 વાગ્યા સુધી.

પુસ્તકો પર ખાસ 10 થી 90 ટકા સુધીનું વળતર આપવામાં આવશે. પ્રદર્શન બાદ પણ વળતર કાયમી ધોરણે મળશે.

DK/NP/J.Khunt/GP



(Release ID: 1581965) Visitor Counter : 177