PIB Headquarters
સાંતેજ અને છત્રાલમાં આઈએસઆઈ માર્કા વગરના પેયજળ ઉત્પાદકોના એકમો પર ભારતીય માનક બ્યૂરોના દરોડા
પોસ્ટેડ ઓન:
11 JUL 2019 5:09PM by PIB Ahmedabad
અમદાવાદ, 11-07-2019
ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના કંપનીના પેકીંગવાળા પેયજળનું ઉત્પાદન, પેકિંગ અને ISI માર્કાનો ઉપયોગ કરાતો હોવાની બાતમીના આધારે તારીખ 10-07-2019ના રોજ પેયજળ ઉત્પાદક મેસર્સ શિવશક્તિ બેવરેજિસ, પ્લાન્ટ સંખ્યા 865, સાંતેજ ટાઈલ્સ પાસે, સાંતેજ, કલોલ, ગાંધીનગર-382721 તથા મેસર્સ રોયલ બેવરેજીસ, પ્લાન્ટ સંખ્યા 3, સર્વે સંખ્યા 207, ખાત્રજ, કલોલ, ગાંધીનગરના પરિસરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દૂરુપયોગ જણાયો હતો. આઈએસઆઈવાળા લગભગ 1003 કાર્ટૂન તેમજ 200 લેબલ વાળા રોલ મેસર્સ શિવશક્તિ બેવરેજીસના ત્યાંથી અને 1104 કાર્ટૂન તથા 40 લેબલવાળા રોલ મેસર્સ રોયલ બેવરેજિસ પાસેથી સીલ કરવામાં આવ્યા હતા.

આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે જેમાં, એ સમાવિષ્ટ છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ (આઈએસઆઈ) લાયસન્સ વગર ઉત્પાદન કરી ન શકે. ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17 ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 2 વર્ષની સજા અથવા 2,00,000નો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે.
લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે આઈએસઆઈ માર્કાનો ઉપયોગ થતો હોય છે. જે કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના પ્રમાણિત ચિન્હના દુરપયોગની માહિતી હોય તે એ અંગે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કાર્યાલય, ત્રીજે માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014. (ટેલિફોન – 27540317)ને જાણ કરી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા eng@bis.gov.in પર ઈ-મેઈલ પણ કરી શકાય છે. આ પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
DK/NP/JKhunt/GP/RP
(રીલીઝ આઈડી: 1578397)
મુલાકાતી સંખ્યા : 388