PIB Headquarters
પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલત
Posted On:
19 JUN 2019 5:13PM by PIB Ahmedabad
અમદાવાદ, 19-06-2019
પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380 004ની કચેરી ખાતે તારીખ 17-07-2019 (બુધવાર)ના રોજ સવારે 11.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ફક્ત અમદાવાદ રીજનલ ઓફિસને લગતી પોસ્ટલ પેન્શનના અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
પેન્શનને લગતી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી કાળુ રામ હિંગર, વરિષ્ઠ લેખાધિકારી, લેખા અને પેન્શન સેક્શન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ને મોડામાં મોડી તારીખ 24-06-2019 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિં.
ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારીત મુદ્દોઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષય સમાવિષ્ટ ન હોવા જોઈએ.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1574971)
Visitor Counter : 219